પૌત્રનાં કારસ્તાન પર દાદા રોષે ભરાયા: પૂર્વ વડાપ્રધાન એચ ડી દેવગૌડાએ પ્રજ્વલ રવન્નાને કહ્યું- મારી ધીરજની પરીક્ષા ન લઈશ સમજ્યોને
- 23 May, 2024
યૌન શોષણ મામલામાં અને સેક્સ સ્કેન્ડલમાં ઘેરાયેલા સાંસદ પ્રજ્વલ રેવન્નાને ભારત લાવવાની કવાયત શરૂ થઈ ગઈ છે. એક તરફ જ્યાં કર્ણાટક સરકારે વિદેશ મંત્રાલયને તેમનો ડિપ્લોમેટિક પાસપોર્સ રદ કરવાની માંગી કરી છે. જ્યારે બીજી તરફ પૂર્વ વડાપ્રધાન એચ ડી દેવગૌડાએ પણ પ્રજ્વલને ભારત ફરવા અંગેની કડક ચેતવણી આપી છે. તેમણે આ અંગે પત્ર ઈસ્યુ કરીને કહ્યું કે મેં પ્રજ્વલ રેવન્નાને ચેતવણી આપી છે અને કહ્યું છે કે તે ઝડપથી પાછો ફરે અને કાયદાકીય પ્રક્રિયામાં મદદ કરે. વધુમાં તેમણે કહ્યું છે કે તે મારી ધીરજની પરીક્ષા ન કરે.
કર્ણાટક સરકારે સત્તાવાર રીતે વિદેશ મંત્રાલયને જનતા દળ (સેક્યુલર) સાંસદ પ્રજ્વલ રેવન્નાનો રાજદ્વારી પાસપોર્ટ રદ કરવા માટે વિનંતી કરી છે. પ્રજ્વલ કર્ણાટક સેક્સ સ્કેન્ડલ કેસમાં આરોપી છે. રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવેલી આ વિનંતી પ્રજ્વલ રેવન્ના સામે વધી રહેલી કાર્યવાહીનું પ્રતીક છે. તમને જણાવી દઈએ કે તાજેતરમાં પ્રજ્વલ રેવન્ના પર જાતીય સતામણીનો આરોપ લગાવ્યા બાદ જર્મની ભાગી ગયો હતો.
કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સીધો પત્ર લખીને રેવન્ના સામે તાત્કાલિક કાર્યવાહી કરવા વિનંતી કરી હતી. તેમના પત્રમાં, સિદ્ધારમૈયાએ તેને "શરમજનક" ગણાવ્યું કે રેવન્નાએ આરોપો સપાટી પર આવ્યા પછી અને તેની સામે પ્રથમ ફોજદારી કેસ નોંધાયો તે પહેલાં જ દેશ છોડવા માટે તેના રાજદ્વારી પાસપોર્ટનો ઉપયોગ કર્યો.
આ પહેલા એચ ડી કુમાર સ્વામીએ તેમના ભત્રીજા અને સાંસદ પ્રજ્વલ રેવન્નાને પણ ભારત પાછા આવવા, પરિવારની ગરિમા બચાવવા, હાજર થવા અને SIT તપાસમાં સહયોગ કરવાની અપીલ કરી છે. કુમારસ્વામીએ પ્રજ્વલને પણ પૂછ્યું હતું કે જો તેણે કોઈ ભૂલ કરી નથી તો તેને શેનો ડર છે. એચડી કુમારસ્વામીએ એમ પણ કહ્યું કે તેઓ તેમના ભાઈ એચડી રેવન્ના અને તેમના પરિવારને ખાસ પ્રસંગો અને તહેવારો દરમિયાન જ લંચ માટે મળતા હતા. આ સિવાય તેઓ એકબીજાના બિઝનેસ વિશે કંઈ જાણતા ન હતા.
એચ ડી કુમાર સ્વામીએ એમ પણ કહ્યું હતું કે તેમના પરિવારના તમામ સભ્યોના ફોન સરકાર દ્નારા ટેપ કરવામાં આવી રહ્યાં છે. જોકે, ડેપ્યુટી સીએમ ડીકે શિવકુમારે કુમારસ્વામી દ્વારા લગાવવામાં આવેલા આવા આરોપોને સ્પષ્ટપણે નકારી કાઢ્યા છે. કર્ણાટકમાં સેક્સ સ્કેન્ડલ સામે આવ્યાને 24 દિવસ થઈ ગયા છે અને બળાત્કારનો આરોપી સાંસદ પ્રજ્વલ રેવન્ના હજુ પણ ફરાર છે. તેના હાસન મતવિસ્તારમાં ચૂંટણી પૂરી થયાના કલાકો બાદ 26મીએ તે દેશ છોડીને ભાગી ગયો હતો. આ પછી, SIT અને CBIની બ્લુ કોર્નર નોટિસના સમન્સ છતાં તે તપાસ માટે હાજર થયો ન હતો.